લાયન્સ કલબના માધ્યમથી 108 પીપળનું વૃક્ષા રોપણ કાર્યક્રમમાં નગરના આગેવાનો રહ્યા ઉપસ્થિત

થરાદ,

થરાદ લાયન્સ કલબ ઓફ થરાદ સિટીના માધ્યમથી હડકવાઈ માતાજીના મંદિર પટ આંગણમાં 108 પીપળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વૃક્ષની માવજત માટે 2100 વૃક્ષ દાતા બની તેઓના હાથે પીપળ વૃક્ષ રોપણ કરવામાં આવ્યું હતું. જેમાં રાજકીય નેતાઓ અધિકારી સહિત નગરજનો દ્વારા પીપળના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.

શહેરમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં એકસાથે પીપળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગીચ સોસાયટીઓ વચ્ચે આવેલું હડકવાઈ માતાજીના મંદિરના પટઆંગણમાં પવિત્ર શ્રાવણ માસમાં પીપળના વૃક્ષોના રોપણ માટેનું મંગળવારે આયોજન કરવામાં આવતાં એક વૃક્ષ રોપણના 2100 રૂપિયાના દાતા બની કુલ 108 પીપળ વૃક્ષોની રોપણી કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય ગુલાબસિહ રાજપૂત, બનાસ બેન્ક ડિરેકટર શૈલેષભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ લવજીભાઈ વાણિયા, નાયબ કલેકટર વી.સી.બોડાણા,લાયન્સ કલબ પ્રમુખ વાલાભાઈ પ્રજાપતિ,રીતેશભાઈ પ્રજાપતિ, તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment